દિવસો જુદાઇના જાય છે

સ્વ. ગનીભાઇ દહીંવાલાની યાદગાર રચના રફીના કંઠે આપના માટે ખાસ.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
ફકત આપણે તો જવુ હતું, હર એકમેકના મન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !

તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

મોહમ્મદ રફી

No comments: